‘ચમન’ની ચિત્રકળા-૪


કહે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ચિમનભાઈને જેમ બચપણમાં ચિત્રકામનો શોખ હતો, તેમ ચીમનભાઈની પુત્રી મિતાને પણ બચપણમાં ચિત્રકળાનો શોખ હતો. આજે તો એ એક ડાએટીશીઅન છે, પણ ચીમનભાઈએ મિતાએ દોરેલું હનુમાનજીનું ચિત્ર વર્ષોથી સાચવી રાખ્યું છે. બીજા બે પેન્સીલ સ્કેચીસ મિતાબહેને ચિમનભાઈને “દર્પણ”ના મુખપૃષ્ટ તૈયાર કરવામાં મદદ આપવા દોર્યા હતા.

નાની મિતાએ દોરેલું હનુમાનજીનું આ ચિત્ર મને એટલું બધું ગમે છે કે એના વિષે હું શું ટીપ્પણી કરૂં એ જ સુઝતું નથી. સફેદ રંગની પવિત્રતા, ગળામાં માળા, ખભે સુંદર ખેસ, ભાવવાહી આંખો, કપાળ ઉપરનું તિલક !! વાહ ભૈ વાહ !!

દર્પણના મુખપૃષ્ટના આ ્ચિત્રમાં મિતાબહેનના ચિત્રકામ ઉપર ચીમનભાઈની સ્ટાઈલની અસર દેખાય છે.

આ ચિત્રનો વિષય મને સમજાયો નથી, પણ ચિત્રની સબળ રેખાઓમાં એમના પ્રયત્નની પરાકાષ્ટા દેખાય છે.

 

4 thoughts on “‘ચમન’ની ચિત્રકળા-૪

  1. ચમન ભાઈ સાહેબ, આપને ચિત્રકર ન બનવુ હોય તો વાંધો નથી. પણ મિતા દીકરીને ઉત્તેજન આપો.

    Like

પ્રતિભાવ